suvichar

Posted by Duty Until Death | 4:49 AM | 0 comments »

કુટુંબમાં માણસની સ્વતંત્રતા, શિસ્ત, ત્યાગની કસોટી થાય છે કારણ કે કુટુંબ એ એકમાત્ર એવી સંસ્થા છે, જે માણસે સ્વયં, પોતાના માટે જ, પોતાની મરજીથી રચી છે. જી.કે. ચેસ્ટરટન

કોઈના કર્મનો ન્યાય તમે જાતે તોળશો નહીં. તમે જે ત્રાજવે તોળશો તે જ ત્રાજવે તમે પણ તોળાશો. તમે જે માપે આપશો તે જ માપથી તમને મપાશે. ઈસુખ્રિસ્ત

દયા એવી ભાષા છે કે બહેરા તે સાંભળી શકે અને અંધ તે અનુભવી શકે છે, મૂંગા સમજી શકે છે. મહાવીર સ્વામી

જો જીવનમાં બધું જ સમજ અને આયોજનપૂર્વક કરવામાં આવે તો જોખમ જેવું કંઈ જ નથી. નેપોલિયન

જેમ ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ગુસ્સાના ઊભરામાં માણસ પોતાનું હિત શામાં છે એ જોઈ શકતો નથી. ભગવાન બુદ્ધ

કોઈ માણસ બીજા મનુષ્યને બદલી શકતો નથી. આપણે બધા જ પરિવર્તનનું એક એવું દ્વાર ધરાવીએ છીએ જે ફક્ત અંદરથી જ ખૂલી શકે છે. કોઈના હૃદયનું દ્વાર આપણે બહારથી, દલીલથી કે લાગણીસભર આજીજીથી ખોલી શકતા નથી. ગુણવંત શાહ

ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. કાલિદાસ

કીડીથી વધારે સારું કોઈ જ ઉપદેશક નથી, છતાં તે વ્યાખ્યાન આપ્યા વિના, મૌન જ રહે છે. બેન્જામીન ફ્રેંકલીન

સેવા માટે પૈસાની જરૂરત નથી, જરૂરત છે પોતાના સંકુચિત જીવનને છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની. વિનોબા ભાવે

મેં કેવું આલીશાન ઘર બાંધ્યું તે નહિ પણ, મારું ઘર કેટલાં લોકોને માટે વિસામા રૂપ બન્યું, કેટલાંને આશ્વાસન મળ્યું, કેટલાંને ટાઢક, આત્મીયતા મળી, હૂંફ મળી એમાં જ ઘરની ભવ્યતા છુપાયેલી છે. કુન્દનિકા કાપડિયા

જે કાર્ય કરતાં મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતાં મનમાં ગ્લાનિ થાય તે અધર્મ. બ્રહ્માનંદ

પોતાની નમ્રતાનું સતત ભાન હોવું એ પણ એક જાતનો ઘમંડ છે. જે.કૃષ્ણમૂર્તિ

સાચું શું છે એ જાણ્યા છતાંય, એ પ્રમાણે ન અનુસરવું એમાં કાં તો જાણકારીનો અભાવ છે કાં તો હિંમતનો અભાવ છે. રત્નસુંદર વિજયજી

સ્વાસ્થ્ય માટે જો કંઈ વધારેમાં વધારે નુકશાનકારક હોય તો સ્વાસ્થ્ય માટેની અત્યંત કાળજી…. બેન્જામીન ફ્રેંકલીન

જ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે ત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે. સ્વામી વિવેકાનંદ

જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન. જે.એચ.ફિલ્ડ

ભૂલ તો સર્વની થાય પણ એનો સ્વીકાર કરનાર અને એ જ ભૂલ બીજીવાર ન થાય તેની તકેદારી રાખનાર જ સુખી થાય છે. ડૉ. ક્રાઉન

લગ્નજીવન કે દામ્પત્યની સફળતા યોગ્ય વ્યક્તિની શોધમાં નહીં, યોગ્ય વ્યક્તિ થવામાં છે. ફોસ્ટરવૂડ

કુદરતી દુઃખ એક કસોટી છે, ઊભું કરેલું દુઃખ એક શિક્ષા છે. અરવિંદ

માણસમાં પોતાની જાતને છેતરવાની અનંત શક્તિ પડી છે, આમાં ભલભલા જોગી, જતિ, ઋષિ, તપસ્વી કોઈ અપવાદ નથી. ઊંચામાં ઊંચી અવસ્થાએ મરણની પળ લગી પણ, માણસ પતનપ્રૂફ તો નથી જ. સ્વામી વિવેકાનં













































0 comments